દાણીલીમડામાં ભીષણ આગ, એક બાળકનું મોત: વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં લાગેલી આગમાં 3 ગંભીર રીતે દાઝ્યા
- 07 Mar, 2024
અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા.
અમદાવાદના દાણીલીમડામાં વિસ્તારમાં વહેલી સવારે રહેણાક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં એક બાળકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઇજાગ્રસ્તોને મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ધુમાડો ઘરોમાં પહોંચી જતા ખાસ કરીને બાળકોને ગુંગળામણનો અનુભવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડે 27 લોકોને સહી સલામત બચાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.
ખૂબ જ સાંકડી જગ્યામાં ફ્લેટ હોવાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર સુધી પહોંચી શક્યું નહોતું. ફ્લેટ પણ ખૂબ જ નાની જગ્યામાં પાંચ માળ સુધી ઉભો કરી દેવામાં આવેલો છે. ખૂબ જ નાનો સાંકડો રસ્તો હોવાના કારણે વાહન છેક સુધી પહોંચી શક્યું નહોતું. બીજી તરફ ફ્લેટમાં સીડીઓમાં પણ સામાન પડ્યો હતો. જેના કારણે લોકો પણ ઝડપથી નીચે ઉતરી શક્યા નહોતા. વાહન પાર્કિંગની કોઈ જ સુવિધા નહોતી, મીટરની નજીક વાહન મૂક્યા હતા. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ